૧૯૦ /૨૫ તા. ૦૩/૧૦/૨૦૨૫, શુક્રવારના રોજ "Symbol of Knowledge Dr. Ambedkar" વિષય પર વ્યાખ્યાન
ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૦૩.૧૦.૨૦૨૫, શુક્રવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન Institute of Language Teaching B. Ed. (English) College માં "Symbol of Knowledge Dr. Ambedkar" વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડૉ. નેહલબહેન શીંગાળા, અન્ય શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.instagram.com/share/p/_1otz8fvE
https://www.facebook.com/share/p/16NcQRCVrX/