NSS UNIT SURENDRANAGAR VACCINATION CAMP

શ્રી એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રસીકરણ કેમ્પ યોજાયો


ગુજરાત સરકારના રસીકરણ અભિયાનને 100% સંપૂર્ણ બનાવવાના ઉદ્દેશ્યથી શ્રી એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એન.એસ.એસ. વિભાગ દ્વારા તારીખ 20-07-2021ના રોજ સંસ્થાનાં વિધાર્થીઓ, સ્ટાફ મિત્રો તથા વાલીઓ માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. સુરેન્દ્રનગર ની જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમનાં સાથ સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું. કુલ 100 વિધાર્થીઓ તથા નાગરિકો આ કેમ્પથી લાભાન્વિત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાનાં આચાર્યશ્રી ડો.અમિત મિશ્રાનાં માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. વિભાગનાં પ્રોગ્રામ ઓફિસર ડો. વિપુલ કણાગરા, દીપિકા કેવલાણી તથા એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ હતું.


Published by: NSS Section

20-07-2021