તા. ૨૨-૧૦-૨૦૨૫નાં રોજ પ્રથમ "માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ એવોર્ડ યોજના : ૨૦૨૪-૨૫"
ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ સંચાલિત બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : ૨૦૨૪-૨૫ માટે માતૃશ્રી રમાબાઈ ગ્રામસેવા ફેલોશીપ એવોર્ડ યોજના વર્ષ : ૨૦૨૪-૨૫ માટે શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત સ્નાસ્તક પાસ હોય તેવા વિદ્યાર્થીઓ દ્વારા યોજનાની માર્ગદર્શિકા અનુસાર ગ્રામીણ વિસ્તારની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજનૈતિક, અને આરોગ્યલક્ષી પરિસ્થિતિઓનો અભ્યાસ કરવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી. આ યોજના મુખ્ય ધ્યેય જેવા કે,
(૧) ડૉ. આંબેડકરજીના ચિંતનને ખરા અર્થમાં ગ્રામ્ય સમાજના શિક્ષિત-અશિક્ષિત લોકોને સંકલિત કરી લોકો સુધી પહોંચાડવું.
(૨) ગામડાના બાળકોને આધુનિક શિક્ષણ પ્રણાલીથી અવગત કરી તેના સ્વ-વિકાસની ઉતમ તકો ઉત્પન્ન કરવા માર્ગદર્શિત કરવા.
(૩) ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા.
(૪) ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી જાગૃતતા લાવવા માટે મદદ કરવી.
(૫) ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્વાવલંબી જીવન જીવવા અંગે પ્રોત્સાહિત કરવા.
(૬) ગ્રામ્ય વિસ્તારમાં યુવક-યુવતીઓને વિવિધિ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રેરણા, જાગૃત અને મદદ કરવી.
(૭) વિકાસમાં અવરોધરૂપ રૂઢિઓ અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થવા માર્ગદર્શન આપવું.
(૮) મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ, સહાયક યોજનાઓ વગેરેની માહિતી ગ્રામ્ય મહિલાઓને આપવી.
(૯) ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને લાભોથી જાગૃત કરવા.
(૧૦) સમાજમાં રહેલા વિભેદનકારી વિચારો દૂર કરવા માર્ગદર્શન આપી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ડૉ. આંબેડકરજીના સ્વપ્નને સાકાર કરવું.
(૧૧) આ યોજનાની અમલવારી દરમ્યાન ગામડાઓમાં સમાનતા, બંધુતા અને સમરસતા કેળવાય તે માટેના પ્રયત્નો કરવા.
આ યોજના અંતર્ગત સર્વ પ્રથમ વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવામાં આવેલ કુલ ૫૦ અરજીઓમાંથી ઇન્ટરવ્યૂ દ્વારા ૧૦ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવેલ. ચેર-સેન્ટર દ્વારા આ ૧૦ વિદ્યાર્થીઓને રાજકોટ જિલ્લાના ગામડાઓમાં સંધોધન કાર્ય કરવા માટે જવાબદારી સોંપવામાં આવી. જેમાં હરીપર પાળ, ઈશ્વરીયા, કણકોટ, રામનગર, વડવાજડી જેવા ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; પસંદ થયેલા દરેક વિદ્યાર્થીઓને રૂ. ૫,૦૦૦ચેર-સેન્ટર દ્વારા ફેલોશીપ એવોર્ડ આપવામાં આવશે.
આ યોજનામાં વિદ્યાર્થીઓએ ડિસેમ્બર-૨૦૨૪થી ફેબ્રુઆરી-૨૦૨૫ સુધી સંશોધન કાર્ય કરવાનું રહેશે. સંશોધક દવારા સંશોધન કરી અહેવાલ ઓછામાં ઓછામાં ૫૦ પેઈઝ કે તેથી વધુનો અહેવાલ સોફ્ટ કોપી-૧ અને હાર્ડકોપી-૧માં ચેર–સેન્ટરમાં સુપ્રત કરવાનો રહેશે. આ શોધકાર્ય સ્થળની ફોટોગ્રાફી, દસ્તાવેજો, રૂબરૂ મુલાકાત ફોટોગ્રાફી, નકશાઓ વગેરે અહેવાલમાં સામેલ કરવાના રહેશે.