વાર્ષિક ખેલકુદ મહોત્સવ ઉદઘાટન ૨૦૨૧-૨૨

વાર્ષિક ખેલકુદ મહોત્સવ ઉદઘાટન રીપોર્ટ ૨૦૨૧-૨૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-૫૦ માં વાર્ષિક ખેલકુદ રમતોત્સવનો શુભારંભ

તા. ૨૦/૧૨/૨૦૨૧ ના રોજ ૧૦,૦૦૦મી. દોડ ભાઈઓ-બહેનોની સ્પર્ધા નું આયોજન  ઠંડા પહોરે સવારે ૦૭ વાગે આયોજન કરવામાં આવ્યું ૧૦૦૦૦મી દોડમાં ભાઈઓ ૧૪ અને ૧૨ બહેનોએ ભાગ લીધેલ હતો, જેમાં ૬૮ કોલેજોના ૩૨૨ જેટલા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.શારીરિક શિક્ષણ નિયામકશ્રી દ્રારા know sports know life ની ફિલોસોફી દ્રારા જણાવ્યું હતું કે discipline, dedication, જીવનમાં સ્થાન આપી ઉત્કૃષ્ટ કોટિનું સ્પોર્ટ્સમેન બનવા સમાજમાં માન-સન્માન મેળવવા યોગ્ય અને દેશને યોગદાન આપવા પહેલ કરી હતી.

વાર્ષિક ખેલકુદ મહોત્સવનું ઉદઘાટકશ્રી એચ.એસ.રાય ડેપ્યુટી જનરલ મેનેજર આઇ.ઓ.સી.એલ ના વરદહસ્તે કરવામાં આવ્યું તથા રમતોત્સવને ખુલ્લો મુકેલો જાહેર કરવામાં આવ્યો, તથા તેમનુ સન્માન  શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની સાહેબ દ્રારા  મોમેન્ટો સન્માન કરવામાં આવ્યું.

શ્રી એચ.એસ. રાય પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સની રમતમાં ભાગ લેવો જોઈએ, ખેલાડીઓને જીવનમાં રમતગમતનું યોગ્ય સ્થાન આપી ફક્ત શારીરિક સ્વાસ્થ્ય નહિ પરંતુ  માનસિક સ્વાસ્થ્યની ભેટ મેદાનમાંથી મળે છે, તેથી કોર્પોરેટ જગત વ્યૂહાત્મક આયોજન કરતા લીડર્સની ક્વોલિટી મેદાનમાંથી સહજતાથી મળે છે.સૌરાષ્ટ્રની ઘરામાં જોમ અને જુસ્સો ધરાવતા યુવાન યુવતીઓને ખોટ નથી સૌને આગળ આવી સુંદર રમતગમતમાં ભાગ લેવા આહવાહન કરેલ હતુ.
 


માન.ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે કોરોના કાળ પછી મોટી સંખ્યામાં ખેલાડીઓ મેદાન પર આવતા થયા છે તેનો યુનિવર્સિટીને ગર્વ છે કે પોલીસ ટ્રેનિંગ અને અન્ય સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા અનેક યુવાનોએ આ મેદાન નો લાભ લીધો છે તે સૌને આ મેદાને કંઈકને કંઈક આપ્યું છે તથા રમત-ગમતમાં ભાગ લેવાથી શારીરિક ક્ષમતાનો વિકાસ થતા અનેક રોગોથી બચી શકાય છે.

માન.કુલપતિશ્રી નીતિનભાઈ પેથાણી સાહેબે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સંકુલમાં અનેકવિધ મેદાનો અને નવનિર્મિત સ્પોર્ટ્સ હોસ્ટેલની સુવિધા ઉભી થઇ રહી છે અને  ખેલાડીઓને શ્રેષ્ઠ સગવળતા મળે તથા શ્રેષ્ઠ તાલીમ મળે તેવા પ્રયત્નો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. શારીરિક શિક્ષણના અધ્યાપકોને વધુને વધુ સંખ્યામાં પોતાના ખેલાડીઓને લઈને  ઉપયોગ કરવા અને શ્રેષ્ઠ ખેલાડીઓને તૈયાર કરવા આહવાહન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરવા માટે શારીરિક શિક્ષણના અધ્યાપકોને  ખેલાડીઓને વધુને વધુ સંખ્યામાં  મેદાન પર લાવવા યથાયોગ્ય પ્રયત્ન કરવા જણાવ્યું હતું.


ગત વર્ષના ચેમ્પિયન્સ ખેલાડીઓ તેમજ ચાલુ વર્ષના ૧૦,૦૦૦ મી. દોડમાં પ્રથમ આવનાર ખેલાડી જયરાજસિંહ જાડેજા અને મોના વાંઝા દ્વારા માન. કુલપતિ શ્રી ડો નીતિનભાઈ પેથાણી અને માન. ઉપ કુલપતિ ડૉ વિજયભાઈ દેસાણીનું અભિવાદન કરવામાં આવ્યું.

માન. કુલપતિશ્રી ડો. નીતિન પેથાણીસાહેબ, ઉપકુલપતિશ્રી ડો. વિજય દેસાણી સર તથા શારીરિક શિક્ષણ નિયામક શ્રી ડો. જતિન સોની સાહેબ તેમજ શારીરિક શિક્ષણ અધ્યાપકો દ્વારા કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું.

 શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની સાહેબ દ્રારા મહેમાનો અને ખેલાડીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. માન.ઉપકુલપતિ શ્રી વિજયભાઈ દેસાઈ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શારીરિક શિક્ષણ અધ્યાપક તરીકે ફરજ બજાવતાં વયમર્યાદાને કારણે નિવૃત્ત થનાર ડો. આર.કે કુરેશી, ડો.ઘનશ્યામસિંહ ગોહીલ, શ્રી બી.કે સુખડિયા અને શ્રી મહેશભાઈ ચૌહાણનું શાલ ઓઢાડી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું.


સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન માન.કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી દ્વારા ખેલાડીઓને આશીર્વચન અને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું, તેમજ ખેલાડીઓને શ્રેષ્ઠ  રમતઆંક આપીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરવા આહવાન કરવામાં આવ્યું.

વિજેતા ખેલાડીઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શપથ લેવડાવવામાં આવ્યા.
શારીરિક શિક્ષણ ભવનના પ્રોફે. ભાવિક કન્ટેસરિયા દ્વારા આભાર વિધી કરીને કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની સાહેબ,  શ્રી કે.કે બાવળા, ડી.ડી.અગ્રાવત, ઉમેશભાઈ માઢક,  મૌનિક ગઢવી, દેવેન દાણીધારીયા, જયેશ ગ્રાભડીયા તથા શારીરિક શિક્ષણ ભવનના અધ્યાપકશ્રી ડો. ભાવિકભાઈ કન્ટેસરિયા તથા ડો. ભાવેશભાઈ રાબા તથા શારીરિક શિક્ષણ ભવનના તમામ વિદ્યાર્થીગણ દ્રારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. એમ એસ ચારણ સાહેબ દ્વારા કરવામાં આવ્યુ હતુ.


Published by: Physical Education Section

20-12-2021