૧૮૮ /૨૩ તા. ૧૮-૯-૨૦૨૫, ગુરુવારના રોજ " ડૉ. ભીમરાવ આંબેડકરનું શિક્ષણ દર્શન " વિષય પર વ્યાખ્યાન
ડો. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર - સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૮.૦૯.૨૦૨૫, ગુરુવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન હરિવંદના બી.એડ. કોલેજ, રાજકોટ ખાતે ડૉ. ભીમરાવ આંબેડકરનું શિક્ષણ દર્શન વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના અધ્યાપક ડૉ. વીનેશભાઈ બામણિયા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ. તદુપરાંત મુલાકાતી અધ્યાપક ડૉ. કાંતિભાઈ કાથડ દ્વારા ચેર-સેન્ટરનો પરિચય અને પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામા આવેલ. આ પ્રસંગે કોલેજના અધ્યાપક ડો. વરૂ તેમજ અન્ય સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/17KvJvxWeg/