૧૭૯. તા. ૫.૦૮.૨૦૨૫, મંગળવારના રોજ " સમાજ સુધારક: ડૉ. ભીમરાવ આંબેડકર" સમાજશાસ્ત્ર અનુસ્નાતક ભવન, સૌ.યુનિ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૫.૦૮.૨૦૨૫, મંગળવારના રોજ સમાજશાસ્ત્ર અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજ સુધારક: ડૉ. ભીમરાવ આંબેડકર વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો. ભરતભાઈ ખેર, ડો. રાકેશભાઈ ભેદી તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
http:// https://www.facebook.com/share/p/1BnPhVpJxx/