૧૭૭. તા.૪.૦૮.૨૦૨૫, સોમવારના રોજ "સમાજશિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકર"મનોવિજ્ઞાન અનુસ્નાતક ભવન, સૌ. યુનિ.
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર -સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૪.૦૮.૨૦૨૫, સોમવારના રોજ મનોવિજ્ઞાન અનુસ્નાતક ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજશિલ્પી ડૉ. ભીમરાવ આંબેડકર વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવેલ. આ પ્રસંગે ચેર - સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ તદુપરાંત ડૉ. બી.આર.આંબેડકર ચેર - સેન્ટર દ્વારા ચાલતી પ્રવૃત્તિથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં મનોવિજ્ઞાન અનુસ્નાતક ભવનના અધ્યક્ષ પ્રો. તરલિકાબહેન ઝાલાવડિયા, પ્રો. યોગેશભાઈ જોગસન, ડો. ધારબહેન દોશી તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ.
https://www.facebook.com/share/p/16etUGZDGg/