"દ્વિતીય ભીમરત્ન એવૉર્ડ : ૨૦૨૪-૨૫" ડૉ. નાથાલાલ ગોહિલની પસંદગી અને અર્પણ
બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર–સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા દ્વિતીય ભીમરત્ન એવૉર્ડ : ૨૦૨૪-૨૫ની જાહેરાત કરતા કુલપતિશ્રી. "વિદ્યાપુરુષ ડો. નાથાલાલ ગોહિલને 'ભીમરત્ન' એવોર્ડ દ્વારા વંદન". - કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ડૉ. આંબેડકરી ચળવળના પુરોધા,વિદ્યાના ઉપાસક, સંત સાહિત્યના સાધક, વિદ્યા-પ્રેરણા પુરુષ ડૉ. નાથાલાલ ગોહિલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી "ભીમરત્ન એવોર્ડ"થી નવાજશે. *ડો. નાથાલાલ ગોહિલને ભીમરત્ન એવોર્ડ એનાયત થશે:* સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડૉ. આંબેડકર ચેર દ્વારા બાબાસાહેબના જીવન દર્શનને જનમાનસ સુધી પહોંચાડ્યું. https://divya.bhaskar.com/1KKjoUXIgPb
ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા વર્ષ : ૨૦૨૪-૨૫ માટેના દ્વિતીય ભીમરત્ન એવૉર્ડની જાહેરાત કરવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રીની અધ્યક્ષતામાં ભીમરત્ન એવોર્ડ પસંદગી સમિતિની બેઠક આજ રોજ યુનિવર્સિટીના સેન્ડીકેટ હોલમાં મળી ગઈ જેમાં બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર સેન્ટરની સલાહકાર સમિતિમાંથી એક પ્રતિનિધિ, સામાજિક/સેવાકીય કાર્ય કરનાર એક પ્રતિનિધિ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામકશ્રી એમ ચાર સભ્યોની પસંદગી સમિતિ દ્વારા બાબાસાહેબ ડૉ. આંબેડકરના જીવન દર્શનને સાહિત્યિક માધ્યમ દ્વારા જનમાનસ સુધી પહોંચાડવાનું પ્રેરક કાર્ય કરનાર ડો. નાથાલાલ ગોહિલ, (નિવૃત્ત, ગુજરાતી વિભાગાધ્યક્ષ અને ઇન્ચ.પ્રિન્સીપાલ, એન.પી. કૉલેજ, કેશોદ)ની પસન્દગી કરવામાં આવી છે.
ચેર -સેન્ટરની એપ્રિલ-૨૦૨૪ની સલાહકાર સમિતિમાં ડૉ.આંબેડકરજીના વિચારો અને કાર્યોને મૂર્તિમંત કરતા સમાજ સેવકોને ભીમરત્ન એવોર્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શાલ, અને સન્માનનિધિ રૂપે રૂ.૨૫,૦૦૦/- બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર -સેન્ટર દ્વારા આયોજિત આગામી ફેબ્રુઆરી-૨૦૨૫ના યોજાનાર રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં ડો. નાથાલાલ ગોહિલને ભીમરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
ડો. નાથાલાલ ગોહિલ ગુજરાતમાં ડો. આંબેડકર ચળવળના અગ્રણી અને ડો. આંબેડકર વિચારને શિક્ષણના માધ્યમથી લોકો સુધી પહોંચાડનાર, શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર, સંત સાહિત્ય દ્વારા સમાજમાં સમરસતા, સમાનતાને આગળ ધપાવનાર વિદ્યાપુરુષ ડો. નાથાલાલ ગોહિલનું ડો. આંબેડકર ઉપરનું ચિંતન, લેખન અને અનેક સભાઓ, સેમિનારોમાં તેમના વ્યાખ્યાનો દ્વારા ગુજરાતની જનતાએ માણી છે અને પોખી છે. ડો. આંબેડકર પરના વ્યાખ્યાનોમાં જ્યારે ડો. નાથાલાલ ગોહિલ બોલતા હોય ત્યારે શ્રોતાઓની આંખમાં આંસુ ન આવે એવું ન બને. વક્તા તરીકે ડો. આંબેડકરને અને એના જીવનને વ્યાખ્યાન દ્વારા તાદૃશ કરી આપે છે. આવા આંબેડકર ચળવળના પુરોધા પ્રોફેસર નાથાલાલ ગોહિલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાબાસાહેબ ડો. બી. આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા દ્વિતીય 'ભીમરત્ન' એવોર્ડ પસંદગી કરીને અર્પણ કરવાનું નિર્ધારિત કર્યું છે. આ વિદ્યાપુરુષને ભીમરત્ન એવોર્ડ પ્રદાન કરવાથી એવોર્ડની ગરિમા પણ વધી જશે.
ડો. નાથાલાલ ગોહિલ દ્વારા "ભારતરત્ન ડૉ. ભીમરાવ આંબેડકર" : વર્ષ ૨૦૦૬માં પ્રકાશિત થયું, જેમાં બાબાસાહેબના સમગ્ર જીવન, સંઘર્ષની કથા, સામાજિક ક્રાંતિ, બંધારણના ઘડવૈયા એવા આ ગ્રંથને સર્વશ્રેષ્ઠ ગ્રંથનું પારિતોષિક ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી મળ્યું છે. બાબાસાહેબ ડો. આંબેડકરના બહુ આયામી વ્યક્તિત્વનું પુનઃમૂલ્યાંકન કરતું, પુસ્તક "આર્ષદૃષ્ટા, રાષ્ટ્રનિર્માતા"ડૉ. આંબેડકર':૨૦૧૯માં પ્રસિદ્ધ થયું. ૨૦૨૧માં "મહુથી ચૈત્યભૂમિની તીર્થયાત્રા" તેમજ "ડૉ. આંબેડકર ગીતસૌરભ અને જીવનસંદેશ" ૨૦૨૨માં તેમનું પુસ્તક આવ્યું છે. તાજેતરમાં આગામી ૧૫મી ડિસેમ્બરના રોજ તેમનું "તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધમ્મ" વિષયક પુસ્તકનું વિમોચન થવાનું છે.
૧૫મી ડિસેમ્બર-૧૯૪૮માં જન્મેલા ડો. નાથાલાલ ગોહિલે ૧૯૮૪માં ગુજરાતી વિષયમાં સૌરાષ્ટ્રના ભક્ત કવિઓ પર પીએચ.ડી કર્યું. આ ઉપરાંત તેમણે ૪૦ વર્ષ અધ્યાપક તરીકે ફરજ બજાવી છે; તેમણે તેમના જીવનકાળ દરમિયાન સતત લેખન અને વાંચનમાં જ રત રહ્યા છે. ૧૫ જેટલા વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનમાં પીએચ.ડીની ઉપાધિ પ્રાપ્ત કરી છે. અનેક સેવાકીય સંસ્થાઓ, શિક્ષણ તથા સમાજના ઉત્કર્ષની સંસ્થાઓમાં મેનેજિંગ ટ્રસ્ટી, મહામંત્રી, પ્રમુખ, તજ્જ્ઞ અને ટ્રસ્ટી રહ્યાં છે, તેઓએ ૬૮ જેટલા ગ્રંથોનું સાહિત્ય સર્જન કરીને સમાજને અર્પણ કર્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ડૉ. કમલસિંહ ડોડીયા, ચેર-સેન્ટરના ચેરમેન, પ્રો. રાજાભાઈ કાથડ અને પસંદગી સમિતિના સભ્ય, પ્રો. બી.કે. કલાસવા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક કુમારી આનંદબા ખાચર તેમજ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રણી શ્રીહમીરભાઇ ચાવડાએ પસંદગી સમિતિમાં સેવા આપી હતી. આ સર્વે પસંદગી સમિતિના સદસ્યોએ તથા ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણીએ ડો. નાથાલાલ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા.
https://www.facebook.com/share/p/1AkG4hK4jG/
https://www.facebook.com/share/p/19RnTYGqwd/